અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અનેક વખત નોટિસો ફટકારવામાં આવે છતાં ધ્યાનમાં લેવાતા હવે એએમસી આકરી કાર્યવાહી કરવા જઈ રહી છે. જેમનો બાકી ટેક્સ છે તેવા લોકો સામે હવે અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. એએમસીએ આ લોકો સામે કડક કાર્યવાહી કરતા હવે હરાજી કરવાનું નક્કી કર્યું છે.
મળતી માહિતી મુજબ જે લોકોએ ટેક્સ ચૂકવ્યાં નથી તેમની મિલકત હવે એએમસી હરાજીમાં નાખશે. એએમસીના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારે હરાજી યોજી છે. મધ્ય ઝોન ટેક્સ વિભાગ 11 વાગે આ પ્રક્રિયા શરૂ કરવાનું છે. જ્યારે બપોરે અન્ય મિલકતની હરાજી કરવામાં આવશે. રૂપિયા 22 લાખનો પ્રોપર્ટી ટેક્સ ન ભરનારી મિલકત સામે કાર્યવાહી કરાશે.
ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે